Sunday 26 November 2017

સંવિધાન


સંવિધાન દિન ની સંધ્યાએ ...


સંવિધાન એ માત્ર કલમો  યાદ કરવા માટે નથી ,
એ તો કલમ ની તાકાત સમજવા માટે છે ..
સંવિધાન એ દેશ ને ચલાવવા  માટે  નથી માત્ર શિરસ્તો ,
એ તો એક રાષ્ટ્ર બનાવવાનો  છે માર્ગદર્શક રસ્તો .
સંવિધાન એ સમન્વય છે દુનિયા ની વિચાર ધારા ઓનો,
જેે માનવ માનવ સાથે નાં વ્યવહાર ની વાત આલેખે છે ..
એ વાત નથી કરતો  માત્ર  માનવ ની,
એમા તો માનવ નું નાગરિક શુ હોવું એ પણ સુલેખે છે..
એ તો વાત  કરે  છે એ અધિકારો ની,
જે માનવ માટે મૂળભૂત છે..
એ માટે અવાઝ ઉઠાવવાની,
 વાત પણ એમા મજબૂત છે ..
ભૂલશો નહિ કે એમા ફરજો ની પણ વાત છે ,
 જે  આપણે નિભાવવાની છે..
કારણ કે આપણે સહુ એ આપણી દુનિયા ,
સાથે  મળી ને જ બનાવાની છે .

AGE

People say Age is just a number  But i dont want to belittle it  by just enumerating some numbers .  Age is knowledge  Which everyone has to...