Saturday 21 November 2020

ટુંક મા કહુ તો ..આપણે અને કોરોના

 આપણે સહુ જાણીયે છીએ માણસ એક સમાજિક પ્રાણી છે અને આપણે સહુ વરસો થી સમુહ મા રેહવા ટેવાયેલા છીએ.

જુદી રીતે કહીયે આપણી સહુ ની જીવન પદ્ધતિ એ રીતે ઘડાઈ ચુકી છે.

પણ સાથોસાથ એ પણ યાદ રાખવુ જ
કે જ્યારે પણ જરુર ઉભી થાય છે ત્યારે કુદરત સાથે તાલ મિલાવવા,આવી પડેલ કોઇ પણ આપદા ને પહોચી વળવા જરુરી બદલાવ કર્યા જ છે જેથી કરીને જ આપણે માનવ સમાજ અને માનવ ઉત્ક્રાન્તિ ની આજ ની આ સ્થિતિ સુધી પોહચ્યા છિએ.

આજે સામે કોરોના મહામારી નામની આફત આવી જ પડી છે ત્યારે એનો સામનો આપણે સહુ એ સાથે મળી ને કરવાનો છે .

એ માટે આપણે સહુ એ વાત સમજી જવાની જરુર છે કે સારુ સ્વાસ્થ્ય એ માત્ર વ્યક્તિગત ઉપલબ્ધિ નથી પણ પણ એ કોઇ પણ સમાજ ની સામુહિક ઉપલબ્ધિ છે .
એ માત્ર સામુહિક જીવન ની ઉપલબ્ધિ જ નહી પણ જીવનપદ્ધતિ અને લક્ષણ બને એ જોવાની એ સમુહ ના એટલે કે સમાજ ના હરેક વ્યક્તિ ની જવાબદારી બની રહે છે.
જેમા નાની અમથી ચુક કોઇ ની પણ માટે જીવન મરણ નો પ્રશ્ન ઉભો કરી શકે છે જેની સહુ કોઇ એ નોંધ લેવી જ રહી.

બસ આત્મ રક્ષા ના પગલા નુ ચુસ્ત પણે પાલન કરતા રહીશું,જેમ કે,

1) વ્યક્તિ વ્યક્તિ વચ્ચે યોગ્ય અંતર જાળવિયે
2) નિયમિત માસ્ક નો ઉપયોગ કરતા રહીએ
3) નિયમિત હાથ ધોતા રહીએ

બસ એ જ આશા સહ.

અંતે ટુંક મા કહુ તો,

દાખવિયે થોડી સમજદારી,
રાખીયે થોડી તકેદારી,
નીભાવિએ પોતપોતાની જવાબદારી,
નહી તો જો જો ક્યાક કરી ન બેસીએ
જિંદગી સાથે જ ગદ્દારી.

Thursday 18 June 2020

Your - my

Your - My


Your land is your land,
My land becomes your land.

I don't know How it becomes a trend.

For Your pain there is Your pen,
For My pain there is also Your pen.

It is a Mystery how it becomes history.

For yourself there is your book,
For Myself there is also your book.

How it happens I have to take a careful look.

For Your labour you gain,
For my labour also you gain.

Can you tell me where is my share of gain?

You decide your status - good,
You also decide my status -crude.

Can I ask how you become so much shrewd?

Your pleasure is your pleasure,
My suffering is also your pleasure.

Can you tell me how much it is fairer?


So one day I have asked for change,
But again you set the exchange rate .

I expect some love, humanity and compassion,

But till date I just get the hate..

You become great and glorify it as just.
Sorry to say but I also put trust.


You know very well it is my everyday reality,
Can I ask what and where is your morality?

Saturday 2 May 2020

Learn ,Unlearn n Relearn

Learn ,Unlearn n Relearn

Sometimes We feel why this exploitation, bias, prejudice, injustice,discrimination can't be ended,abolished,discarded,annihilated.

But we have to  give a careful look at life practice. Immediately after birth our learning starts knowingly or unknowingly whether we desire or require it or not .we should understand here that teachings don't come only from individuals but environment, surroundings also teach us and it starts to  reflect in our behavior  and in mindset.

Some call it teachings but at certain age we feel and understand that it is conditioning that we have been going through since birth that makes us what we are today,how we behave ,act ,feel ,express .

Then we start to ponder upon it ,try to observe and analyse and comes at conclusion that we should go under some kind of unlearning.



But point raised here is whether unlearning is enough ,sufficient to end the so called practice that generates due to conditioning of few years when we take into consideration individual,but in case of society practice is been exist for ages.

So in the end we understand that unlearning is not enough,it just removes layers of conditioning but it does not help to rejuvenate our ethos what we actually want to do.

So what can we do ?
Here comes the role of relearning - active conscious  learning  without  influence of  individuals and surroundings  with one's actual desire to move on in particular direction to overcome the all current life  practice to develop a behavior which percolate in society over a certain period of time which ultimately  become a culture.


( Images : from Google )




Friday 1 May 2020

Learn ,Unlearn n Relearn

Learn ,Unlearn n Relearn

Sometimes We feel why this exploitation, bias, prejudice, injustice can't be end,abolished,discarded.

But we have to  give a careful look at life practice. Immediately after birth our learning starts knowingly or unknowingly whether we desire or require it or not .we should understand here that teachings don't come only from individuals but environment, surroundings also teach us and it starts to  reflect in our behavior  and in mindset.

Some call it teachings but at certain age we feel and understand that it is conditioning that we have been going through since birth that makes us what we are today,how we behave ,act ,feel ,express .

Then we start to ponder upon it ,try to observe and analyse and comes at conclusion that we should go under some kind of unlearning.

But point raised here is wether unlearning is enough ,sufficient to end the so called practice that generates due to conditioning of few years when we take into consideration individual,but in case of society practice is been exist for ages.

So in the end we understand that unlearning is not enough,it just remove layers of conditioning but it does not help to rejuvenate our ethos what we actually want to do.

So what can we do ?
Here comes the role of relearning - active conscious  learning  without  influence of  individuals and surroundings  with one's actual desire to move on in particular direction to overcome the all current life  practice to develop a behavior which percolate in society over a certain period of time   which ultimately  become a culture.





Thursday 9 April 2020

લૉક ડાઉન ના સમય મા

હાલ આપણે  લૉક ડાઉન ના સમય - પરિસ્થિતિ  માંથી ગુજરી રહ્યા છીએ  . સહુ ઘરે જ છીએ .
લોકો ની મોટા ભાગ ની જ જાહેર પ્રવૃત્તિ  થંભી ગઈ છે,ખરું ને..

પણ આ લોક ડાઉન શરૂ થયું એ પહેલા નું ચિત્ર  વિચારીયે તો શું જણાય છે ?
સમગ્ર વિશ્વ માનવ જાત સ્પર્ધા  ના દોર  માં એક દોડ મા લાગેલું હતુ જયા કોઇ આ વિશ્વ  ખરેખર કઇ  દિશા મા ગતિ કરી રહયુ છે એનો  તાગ મેળવવાની કોઇ દરકાર કે  પ્રયત્ન  કરવા બહુ જાજુ ઉત્સાહી જણાતુ નહોતુ,નથી.

હા કયારેક કયારેક  શોષણ , ભુખમરો , ગ્લોબલ  વૉરમિગ,યુધ્ધ  આવી સમસ્યા  ઓની ચર્ચા  વિચારણા કરી પણ લેતા.

પણ આ કૉરૉના વિષાણુ  ની આ બિમારી - મહામારી થકી કુદરત એ માનવજાત ને  એક ચોક્કસ આચકો  કહો  કે એક આઘાત આપ્યો  છે  કે જેણે  માનવ જાત ને  થમ્ભી  જવા મજબુર કરી દીધી છે.

આવા વખતે મને બુધ્ધ અને એમના  શિષ્ય  ની એક વાર્તા  યાદ આવે છે .  આમ તો પુરી વાત યાદ ન આવતા મે એને યુ ટયુબ પર ખોળી  જોઇ તમે  પણ જો જો શકય હોય તો.
વાત કાંઇક આમ છે .
બુદ્ધ  અને એમના શિષ્ય કયાક જઈ  રહયા હોય છે.
રસ્તા મા તળાવ  આવતા બુધ્ધ એક શિષ્ય ને પાણી લઈ આવવા કહે છે.
શિષ્ય પાણી લેવા જાય છે પરતુ ત્યારે  જ ત્યાં  એક ગાડુ પસાર થતા પાણી ડહૉળાય જાય છે એટલૅ  શિષ્ય પાણી વગર પાછો  જાય છે  ને  બુધ્ધ એ પુછતા એ પાણી કેમ  ન લાવ્યો  એની વાત કહે છે .બુધ્ધ ફરી એ જ શિષ્ય ને પાણી લેવા મોકલે છે ને  આ વખતે પણ  એ એમ જ પાછો આવે  છે.
થોડી વાર પછી એ જ શિષ્ય ને પાછા પાણી લેવા  માટે મોકલે  છે.,આ વખતે પાણી ચોખ્ખું  હોય આ વખતે શિષ્ય પાણી લઈ આવે છે.
શિષ્ય ને આ બધુ સમજાતુ નથી એટલે બુધ્ધ ને સમજાવવા કહે છે..

આપણે આ  લોક ડાઉન માં  લોક ડાઉન પહેલા ની આપણી ભાગા દોડી -વ્યસ્તતાં  માંથી   મુક્ત થતા નજર કરીયે તો  આપણી આજુ બાજુ ના સમાજ નું, વિશ્વ નુ ચિત્ર  કાંઇક અંશે સ્પષ્ટ  થઇ રહ્યું છે.જેના તરફ આપણે  સહુ એ નજર કરી મનોમંથન  કરવાની જરુર  છે-  આપણી માનવ  સમાજ વ્યવસ્થા અને સંરચના વિષે ,  વૈશ્વિક વ્યવસ્થા વિષે.

એક તરફ
ભૂખ ,
જીવન જરૂરીયાત વસ્તુ ઓ ની કમી ,
શૉષણ ,
 ભ્રષ્ટાચાર ,
માનવ મદદ- સહાય,
કુટુંબ,
સ્ત્રી દ્વારા ઘર માં થતો માનવ શ્રમ,
સામાજીક અંતર - દુરી,
માનસિક તાણ,
શારીરિક  બિમારી,
સ્વાસ્થ્ય સુવિધા ,સારવાર
સફાઇ ની પ્રક્રિયા,
સફાઇ કર્મચારી,
આપણી જીવન જીવવાની પધ્ધતિ- સહુલિયત અને મજબૂરી
આવક જાવક

તો બીજી તરફ

ચોખ્ખી  હવા ,
પશુ -પક્ષી ના અવાજ,
કુદરતી સાફ વાતાવરણ
પ્રદુષણ  મા ઘટાડો  અને  એવું બીજુ ઘણુ બધુ


આ બધુ આપણી સમક્ષ વધુ સ્પષ્ટ  થઇ રહયુ છે ,કહું તો પેલી વાર્તા ના પાણી ની જેમ ચોખ્ખું થઇ રહ્યું છે.


                                                             ( Image from google )
તો આપણે  સહુ એ વિચારવું જ રહ્યું કે ,
 શુ  હાલ જે  આમ  વૈશ્વિક  વ્યવસ્થા ચાલી રહી એ બરોબર  છે ?
શુ એમા  દરેક  વ્યક્તિ નું  હિત જળવાય  રહે  છે, એથીય આગળ જઈએ તો  આ કુદરત અને  પૃથ્વી નું  હિત જળવાય છે ?

શુ આ માનવ સમાજ ની સંરચના અને  વૈશ્વિક  વ્યવસ્થામાં બદલાવ ની કોઈ  જરુર લાગે છે ?  બદલાવ ની જરૂર ઉભી થઇ છે ?

જો જરુર લાગે  છે  તો એ કેવા પ્રકાર  નો  હોઇ શકે  ? શુ હોઇ શકે ?

શું  આપણે   ચાહીએ  તો  કોઈ બદલાવ કરી  શકીએ  એમ  છીયે  ખરા એક વ્યક્તિ તરીકે કે માનવ જાત તરીકે  ? કે  આપણે માનવ સમાજ તરીકે જે  દિશા મા આગળ નીકળી ચુકયા છે ત્યાં હવે એ શકય નથી રહયુ?

કે અંતે કુદરતે જ કોઇ ભુમિકા ભજવવી પડશે એ માટે  પણ  ?

છેલ્લે આપણે એ યાદ રાખવુ જ રહયુ કે આપણે પણ એ કુદરત નો ભાગ છીયે ને કુદરત ના પોતાના નિયમ છે.




Thursday 26 March 2020

આપણી સમજદારી જરુરી છે ....

આપણી સમજદારી  જરુરી છે ....
હેલો ,
કદાચ આપણે સહુ આ જિંદગીની  આપણી સૌથી કપરી પરિસ્થિતિ મા થી ગુજરવા ના છિયે ત્યારે અમુક વાતો નુ ધ્યાન રાખવાનુ ખુબ જ જરુરી બની રહેવાનુ છે.

આપણે સહુ એ એક સમજુ વ્યક્તિ અને જવાબદાર નાગરિક ની એમ બેવડી ભુમિકા મા કામ કરવાનુ છે આવનારા દિવસો મા.
તંદુરસ્તી સ્વાસ્થ્ય એ વ્યક્તિગત નહી પરંતુ જાહેર જીવન ની એક સામાજિક સમ્પદા છે એ આપણે સહુ એ યાદ રાખવાનુ છે ,સમજવાનુ છે .એટલે  જ આપણે આ કોરોના ની આ માહમારી ને સૌએ ગમ્ભીરતા થી લેવાની તાતી જરુરિયાત છે .

સમજુ  વ્યક્તિ તરિકે આપણે આપણી ,આપણા પરિવાર ની તંદુરસ્તી જાળવવાની છે તો સાથોસાથ આ કોરોના વાયરસ અન્ય ને ના ફેલાય એની જવાબાદાર નાગરિક તરીકે ની ફરજ પણ નિભાવવાની છે.

આ માટે તંત્ર એ તો આપણી  જાહેર જીવન ની પ્રવ્રુતિ ઓ પર કાપ મુક્વા લોક ડાઉન કર્યુ છે ત્યારે આપણે પણ આપણી વ્યક્તિગત પ્રવૃતિ ઓ પર કાપ મુક્વો ખુબ જ જરુરી  છે.આ માટે સોસિયલ ડિસ્ટ્સીગ નુ આપણે ચુસ્ત પણે પાલન કરવાનુ છે.

પણ આ સોસિયલ ડિસ્ટ્સીગ એટ્લે શુ ? આ સોસિયલ ડિસ્ટ્સીગ એટ્લે આપણે  એવી જીવન પધ્ધતિ અપનાવવાની છે કે જેથી ખુદ ને  આ કોરોના વાયરસ નુ ઇંફેક્શન લાગવાની શક્યતા ઘટે એટલુ જ નહી પરન્તુ  એનો ફેલાવો અટ્કાવવામા પણ અગત્ય ની ભુમિકા અદા કરવાની છે. આ માટે આપણે આપણી રોજિદી  પ્રવૃતિ મા થોડો બદ્લાવ કરવાનો છે . જેમ કે , બહુ ટૉળે વળી બેસવુ નહી .જરુર હોય તો જ કોઇ કામ અર્થે ઘર ની બહાર નીક્ળવુ.વૃધ્ધ  વ્યક્તિ અને બાળકો ને  ઘર ની બહાર બહુ ના જવા દેવા.
આ સાથે  જે પણ જરુરી છે એવા તકેદારી  ના પગલા નુ આપણે સહુ એ ચુસ્ત પણે પાલન કરવાનુ છે .જેવા કે માસ્ક પહેરવા,દર બે ત્રણ કલાકે હાથ સાબુ થી 20-30 સેક્ન્ડ ધોવા,જો સાબુ કે  અન્ય વસ્તુ ના હોય તો સેની ટાઇજર નો ઉપયોગ કરવો, નાક લુછવા ટિસ્યુ નો ઉપયોગ કરો તો એને બંધ ઢાક્ણ વાળા કચરા પેટીમા જ ફેંક્વુ, જ્યા ત્યા થુક્વુ નહી.

આ મહામારી ની પરિસ્થિતિ મા પોતની પરવા કર્યા વગર જે સેવા કરી રહ્યા છે ,ફરજ બજવી રહ્યા છે એવા ડોક્ટર ,નર્સ, આરોગ્ય કર્મચારી અને પોલીસ કર્મી  ને એક જાગ્રુત નાગરિક તરીકે પુરતો સહયોગ કરશો.

આવનારા દિવસો માં પણ જીવનજરૂરીયાતની વસ્તુઓ ઉપલબ્ધ રહે એ માટેની સુવિધા જેવી કે કરિયાણા ની દુકાન ,બેંક ,પેટ્રોલપંપ,દવા નો સ્ટોર ચાલુ જ રહેશે .તો આર્થિકસક્ષમ હોય એ લોકો આ વસ્તુઓ જરૂરિયાત મુજબની જ ખરીદે  જેથી આવી વસ્તુઓની કોઈ કૃત્રિમ અછત કે  તન્ગી નાં ઉભી થાય અને આર્થિક રીતે નબળા વર્ગને  તેમજ ખરેખર જરૂરિયાત હોય એ લોકોને આ વસ્તુઓ વાજબી ભાવે મળી રહે.

હાલ જયારે મોટાભાગની કામગરી થંભી ગઇ છે  ત્યારે આપણા આજુબાજુ ના વાતાવરણને ચોખ્ખુ રાખવા ખડેપગે કામ કરતા એ સફાઈકરમીઓને બીરદાવવાનું ભૂલશો નઈં ને એમને પણ કોઇ જરૂરત હોયે તો એ બાબત યોગ્ય મદદરૂપ થજો.

સોસીયલ મીડીયા માં જુદીજુદી પ્રકારની માહીતી ફરતી જ રહે છે ,જૅ અધિકૃત ના હોય તો  લોકો ને ગેર માર્ગે દોરી શકે છે એટલે આવી વાતો થી દૂર રહો ને જેમ તેમ આવા મૅસૅજ ને ફૉરવર્ડ કરશો નહી તો એ પણ એક સમાજસેવા બની રહેશે આ કપરા સમય મા.

આખરે માનવ જ માનવ ને કામ આવશે,એક માણસ જ બીજા માણસ ને તારી શકશે.
માનવતા થી મોટો કૉઈ ધરમ નથી.

AGE

People say Age is just a number  But i dont want to belittle it  by just enumerating some numbers .  Age is knowledge  Which everyone has to...