Sunday, 26 November 2017

સંવિધાન


સંવિધાન દિન ની સંધ્યાએ ...


સંવિધાન એ માત્ર કલમો  યાદ કરવા માટે નથી ,
એ તો કલમ ની તાકાત સમજવા માટે છે ..
સંવિધાન એ દેશ ને ચલાવવા  માટે  નથી માત્ર શિરસ્તો ,
એ તો એક રાષ્ટ્ર બનાવવાનો  છે માર્ગદર્શક રસ્તો .
સંવિધાન એ સમન્વય છે દુનિયા ની વિચાર ધારા ઓનો,
જેે માનવ માનવ સાથે નાં વ્યવહાર ની વાત આલેખે છે ..
એ વાત નથી કરતો  માત્ર  માનવ ની,
એમા તો માનવ નું નાગરિક શુ હોવું એ પણ સુલેખે છે..
એ તો વાત  કરે  છે એ અધિકારો ની,
જે માનવ માટે મૂળભૂત છે..
એ માટે અવાઝ ઉઠાવવાની,
 વાત પણ એમા મજબૂત છે ..
ભૂલશો નહિ કે એમા ફરજો ની પણ વાત છે ,
 જે  આપણે નિભાવવાની છે..
કારણ કે આપણે સહુ એ આપણી દુનિયા ,
સાથે  મળી ને જ બનાવાની છે .

2 comments:

  1. Excellent. And the upper caste upper class people who forget they are where they are and who they continue to be only bcoz of a constitutional democracy which they seem to dislike or have no use of anymore bcoz of the masses using it to get what they too need!

    ReplyDelete

Pustak

  ઘરના કોઈ ઓરડાની ખુરશીમાં  કે બગીચાના કોઈ બાંકડા પર   કે  બસમાં કે ટ્રેનના ડબ્બામાં મુસાફરીમાં  બેઠા બેઠા જ વિચારો ને વિસ્તારવાની  તક આપે એ...