Friday, 1 May 2020

Learn ,Unlearn n Relearn

Learn ,Unlearn n Relearn

Sometimes We feel why this exploitation, bias, prejudice, injustice can't be end,abolished,discarded.

But we have to  give a careful look at life practice. Immediately after birth our learning starts knowingly or unknowingly whether we desire or require it or not .we should understand here that teachings don't come only from individuals but environment, surroundings also teach us and it starts to  reflect in our behavior  and in mindset.

Some call it teachings but at certain age we feel and understand that it is conditioning that we have been going through since birth that makes us what we are today,how we behave ,act ,feel ,express .

Then we start to ponder upon it ,try to observe and analyse and comes at conclusion that we should go under some kind of unlearning.

But point raised here is wether unlearning is enough ,sufficient to end the so called practice that generates due to conditioning of few years when we take into consideration individual,but in case of society practice is been exist for ages.

So in the end we understand that unlearning is not enough,it just remove layers of conditioning but it does not help to rejuvenate our ethos what we actually want to do.

So what can we do ?
Here comes the role of relearning - active conscious  learning  without  influence of  individuals and surroundings  with one's actual desire to move on in particular direction to overcome the all current life  practice to develop a behavior which percolate in society over a certain period of time   which ultimately  become a culture.





Thursday, 9 April 2020

લૉક ડાઉન ના સમય મા

હાલ આપણે  લૉક ડાઉન ના સમય - પરિસ્થિતિ  માંથી ગુજરી રહ્યા છીએ  . સહુ ઘરે જ છીએ .
લોકો ની મોટા ભાગ ની જ જાહેર પ્રવૃત્તિ  થંભી ગઈ છે,ખરું ને..

પણ આ લોક ડાઉન શરૂ થયું એ પહેલા નું ચિત્ર  વિચારીયે તો શું જણાય છે ?
સમગ્ર વિશ્વ માનવ જાત સ્પર્ધા  ના દોર  માં એક દોડ મા લાગેલું હતુ જયા કોઇ આ વિશ્વ  ખરેખર કઇ  દિશા મા ગતિ કરી રહયુ છે એનો  તાગ મેળવવાની કોઇ દરકાર કે  પ્રયત્ન  કરવા બહુ જાજુ ઉત્સાહી જણાતુ નહોતુ,નથી.

હા કયારેક કયારેક  શોષણ , ભુખમરો , ગ્લોબલ  વૉરમિગ,યુધ્ધ  આવી સમસ્યા  ઓની ચર્ચા  વિચારણા કરી પણ લેતા.

પણ આ કૉરૉના વિષાણુ  ની આ બિમારી - મહામારી થકી કુદરત એ માનવજાત ને  એક ચોક્કસ આચકો  કહો  કે એક આઘાત આપ્યો  છે  કે જેણે  માનવ જાત ને  થમ્ભી  જવા મજબુર કરી દીધી છે.

આવા વખતે મને બુધ્ધ અને એમના  શિષ્ય  ની એક વાર્તા  યાદ આવે છે .  આમ તો પુરી વાત યાદ ન આવતા મે એને યુ ટયુબ પર ખોળી  જોઇ તમે  પણ જો જો શકય હોય તો.
વાત કાંઇક આમ છે .
બુદ્ધ  અને એમના શિષ્ય કયાક જઈ  રહયા હોય છે.
રસ્તા મા તળાવ  આવતા બુધ્ધ એક શિષ્ય ને પાણી લઈ આવવા કહે છે.
શિષ્ય પાણી લેવા જાય છે પરતુ ત્યારે  જ ત્યાં  એક ગાડુ પસાર થતા પાણી ડહૉળાય જાય છે એટલૅ  શિષ્ય પાણી વગર પાછો  જાય છે  ને  બુધ્ધ એ પુછતા એ પાણી કેમ  ન લાવ્યો  એની વાત કહે છે .બુધ્ધ ફરી એ જ શિષ્ય ને પાણી લેવા મોકલે છે ને  આ વખતે પણ  એ એમ જ પાછો આવે  છે.
થોડી વાર પછી એ જ શિષ્ય ને પાછા પાણી લેવા  માટે મોકલે  છે.,આ વખતે પાણી ચોખ્ખું  હોય આ વખતે શિષ્ય પાણી લઈ આવે છે.
શિષ્ય ને આ બધુ સમજાતુ નથી એટલે બુધ્ધ ને સમજાવવા કહે છે..

આપણે આ  લોક ડાઉન માં  લોક ડાઉન પહેલા ની આપણી ભાગા દોડી -વ્યસ્તતાં  માંથી   મુક્ત થતા નજર કરીયે તો  આપણી આજુ બાજુ ના સમાજ નું, વિશ્વ નુ ચિત્ર  કાંઇક અંશે સ્પષ્ટ  થઇ રહ્યું છે.જેના તરફ આપણે  સહુ એ નજર કરી મનોમંથન  કરવાની જરુર  છે-  આપણી માનવ  સમાજ વ્યવસ્થા અને સંરચના વિષે ,  વૈશ્વિક વ્યવસ્થા વિષે.

એક તરફ
ભૂખ ,
જીવન જરૂરીયાત વસ્તુ ઓ ની કમી ,
શૉષણ ,
 ભ્રષ્ટાચાર ,
માનવ મદદ- સહાય,
કુટુંબ,
સ્ત્રી દ્વારા ઘર માં થતો માનવ શ્રમ,
સામાજીક અંતર - દુરી,
માનસિક તાણ,
શારીરિક  બિમારી,
સ્વાસ્થ્ય સુવિધા ,સારવાર
સફાઇ ની પ્રક્રિયા,
સફાઇ કર્મચારી,
આપણી જીવન જીવવાની પધ્ધતિ- સહુલિયત અને મજબૂરી
આવક જાવક

તો બીજી તરફ

ચોખ્ખી  હવા ,
પશુ -પક્ષી ના અવાજ,
કુદરતી સાફ વાતાવરણ
પ્રદુષણ  મા ઘટાડો  અને  એવું બીજુ ઘણુ બધુ


આ બધુ આપણી સમક્ષ વધુ સ્પષ્ટ  થઇ રહયુ છે ,કહું તો પેલી વાર્તા ના પાણી ની જેમ ચોખ્ખું થઇ રહ્યું છે.


                                                             ( Image from google )
તો આપણે  સહુ એ વિચારવું જ રહ્યું કે ,
 શુ  હાલ જે  આમ  વૈશ્વિક  વ્યવસ્થા ચાલી રહી એ બરોબર  છે ?
શુ એમા  દરેક  વ્યક્તિ નું  હિત જળવાય  રહે  છે, એથીય આગળ જઈએ તો  આ કુદરત અને  પૃથ્વી નું  હિત જળવાય છે ?

શુ આ માનવ સમાજ ની સંરચના અને  વૈશ્વિક  વ્યવસ્થામાં બદલાવ ની કોઈ  જરુર લાગે છે ?  બદલાવ ની જરૂર ઉભી થઇ છે ?

જો જરુર લાગે  છે  તો એ કેવા પ્રકાર  નો  હોઇ શકે  ? શુ હોઇ શકે ?

શું  આપણે   ચાહીએ  તો  કોઈ બદલાવ કરી  શકીએ  એમ  છીયે  ખરા એક વ્યક્તિ તરીકે કે માનવ જાત તરીકે  ? કે  આપણે માનવ સમાજ તરીકે જે  દિશા મા આગળ નીકળી ચુકયા છે ત્યાં હવે એ શકય નથી રહયુ?

કે અંતે કુદરતે જ કોઇ ભુમિકા ભજવવી પડશે એ માટે  પણ  ?

છેલ્લે આપણે એ યાદ રાખવુ જ રહયુ કે આપણે પણ એ કુદરત નો ભાગ છીયે ને કુદરત ના પોતાના નિયમ છે.




Thursday, 26 March 2020

આપણી સમજદારી જરુરી છે ....

આપણી સમજદારી  જરુરી છે ....
હેલો ,
કદાચ આપણે સહુ આ જિંદગીની  આપણી સૌથી કપરી પરિસ્થિતિ મા થી ગુજરવા ના છિયે ત્યારે અમુક વાતો નુ ધ્યાન રાખવાનુ ખુબ જ જરુરી બની રહેવાનુ છે.

આપણે સહુ એ એક સમજુ વ્યક્તિ અને જવાબદાર નાગરિક ની એમ બેવડી ભુમિકા મા કામ કરવાનુ છે આવનારા દિવસો મા.
તંદુરસ્તી સ્વાસ્થ્ય એ વ્યક્તિગત નહી પરંતુ જાહેર જીવન ની એક સામાજિક સમ્પદા છે એ આપણે સહુ એ યાદ રાખવાનુ છે ,સમજવાનુ છે .એટલે  જ આપણે આ કોરોના ની આ માહમારી ને સૌએ ગમ્ભીરતા થી લેવાની તાતી જરુરિયાત છે .

સમજુ  વ્યક્તિ તરિકે આપણે આપણી ,આપણા પરિવાર ની તંદુરસ્તી જાળવવાની છે તો સાથોસાથ આ કોરોના વાયરસ અન્ય ને ના ફેલાય એની જવાબાદાર નાગરિક તરીકે ની ફરજ પણ નિભાવવાની છે.

આ માટે તંત્ર એ તો આપણી  જાહેર જીવન ની પ્રવ્રુતિ ઓ પર કાપ મુક્વા લોક ડાઉન કર્યુ છે ત્યારે આપણે પણ આપણી વ્યક્તિગત પ્રવૃતિ ઓ પર કાપ મુક્વો ખુબ જ જરુરી  છે.આ માટે સોસિયલ ડિસ્ટ્સીગ નુ આપણે ચુસ્ત પણે પાલન કરવાનુ છે.

પણ આ સોસિયલ ડિસ્ટ્સીગ એટ્લે શુ ? આ સોસિયલ ડિસ્ટ્સીગ એટ્લે આપણે  એવી જીવન પધ્ધતિ અપનાવવાની છે કે જેથી ખુદ ને  આ કોરોના વાયરસ નુ ઇંફેક્શન લાગવાની શક્યતા ઘટે એટલુ જ નહી પરન્તુ  એનો ફેલાવો અટ્કાવવામા પણ અગત્ય ની ભુમિકા અદા કરવાની છે. આ માટે આપણે આપણી રોજિદી  પ્રવૃતિ મા થોડો બદ્લાવ કરવાનો છે . જેમ કે , બહુ ટૉળે વળી બેસવુ નહી .જરુર હોય તો જ કોઇ કામ અર્થે ઘર ની બહાર નીક્ળવુ.વૃધ્ધ  વ્યક્તિ અને બાળકો ને  ઘર ની બહાર બહુ ના જવા દેવા.
આ સાથે  જે પણ જરુરી છે એવા તકેદારી  ના પગલા નુ આપણે સહુ એ ચુસ્ત પણે પાલન કરવાનુ છે .જેવા કે માસ્ક પહેરવા,દર બે ત્રણ કલાકે હાથ સાબુ થી 20-30 સેક્ન્ડ ધોવા,જો સાબુ કે  અન્ય વસ્તુ ના હોય તો સેની ટાઇજર નો ઉપયોગ કરવો, નાક લુછવા ટિસ્યુ નો ઉપયોગ કરો તો એને બંધ ઢાક્ણ વાળા કચરા પેટીમા જ ફેંક્વુ, જ્યા ત્યા થુક્વુ નહી.

આ મહામારી ની પરિસ્થિતિ મા પોતની પરવા કર્યા વગર જે સેવા કરી રહ્યા છે ,ફરજ બજવી રહ્યા છે એવા ડોક્ટર ,નર્સ, આરોગ્ય કર્મચારી અને પોલીસ કર્મી  ને એક જાગ્રુત નાગરિક તરીકે પુરતો સહયોગ કરશો.

આવનારા દિવસો માં પણ જીવનજરૂરીયાતની વસ્તુઓ ઉપલબ્ધ રહે એ માટેની સુવિધા જેવી કે કરિયાણા ની દુકાન ,બેંક ,પેટ્રોલપંપ,દવા નો સ્ટોર ચાલુ જ રહેશે .તો આર્થિકસક્ષમ હોય એ લોકો આ વસ્તુઓ જરૂરિયાત મુજબની જ ખરીદે  જેથી આવી વસ્તુઓની કોઈ કૃત્રિમ અછત કે  તન્ગી નાં ઉભી થાય અને આર્થિક રીતે નબળા વર્ગને  તેમજ ખરેખર જરૂરિયાત હોય એ લોકોને આ વસ્તુઓ વાજબી ભાવે મળી રહે.

હાલ જયારે મોટાભાગની કામગરી થંભી ગઇ છે  ત્યારે આપણા આજુબાજુ ના વાતાવરણને ચોખ્ખુ રાખવા ખડેપગે કામ કરતા એ સફાઈકરમીઓને બીરદાવવાનું ભૂલશો નઈં ને એમને પણ કોઇ જરૂરત હોયે તો એ બાબત યોગ્ય મદદરૂપ થજો.

સોસીયલ મીડીયા માં જુદીજુદી પ્રકારની માહીતી ફરતી જ રહે છે ,જૅ અધિકૃત ના હોય તો  લોકો ને ગેર માર્ગે દોરી શકે છે એટલે આવી વાતો થી દૂર રહો ને જેમ તેમ આવા મૅસૅજ ને ફૉરવર્ડ કરશો નહી તો એ પણ એક સમાજસેવા બની રહેશે આ કપરા સમય મા.

આખરે માનવ જ માનવ ને કામ આવશે,એક માણસ જ બીજા માણસ ને તારી શકશે.
માનવતા થી મોટો કૉઈ ધરમ નથી.

Monday, 18 November 2019

The education

Education is a most significant instrument of societal transformation . Education is the most important key to abolish the disparity prevalent in society .Education is not matter of give n take.It is not just about getting or distributing  degrees .It can' t be  equalize with other commodities with which price tag are attached majority times.Education is a treasure enriched by sincere effort of the great human beings who have  been keen  and sincere  to create knowledge for betterment of society.If one say society is paying for education it is wrong notion manufactured to misguide the common people. Actually Society is investing in education so that its fruits will be enjoyed by future generation.Education is not just for to prepare best  professionals  but to prepare the good citizen who understand the very  essence of  core value of civil life n execute it in a way to bring prosperity for society.
In conclusion,education is a  stream  which nurture a  innocent child to become a responsible citizen moreover a good human being .

Tuesday, 8 October 2019

આધુનિક અંગુલિમાલ



આધુનિક અંગુલિમાલ  --- 

આજે સમય કોલેજ થી ઘરે આવ્યો.
એણે રૂમમાં બેગમૂકી અને ડ્રોઈંગ રૂમમાં ટીવી જોવા લાગ્યો.
પણ એનું મનમગજ ટીવી જોવામા નહોતું બસ એ તો પપ્પા આવે એની રાહ જોઇ રહ્યો હતો.
એટલા માં  એના પપ્પા ઘરે આવી ગયા એમણે  પાણી અને થોડી ચા પીધી.
સમય ના મમ્મી  વિધિ  બહેન આજે બહાર ગયા હતા.
પપ્પા એ પૂછ્યું : સમય આજે વેહલા આવી ગયો
એણે  કીધું હા.
પપ્પા આપણે કૈક વાત કરી શકીયે.
ચોક્કસ  કેમ  નઈ. 
આ મને તમે જે ગાડી આપી છે ફેરવવા એ કેટલા ની આવે?
કેમ ? ના ગમી? નથી બરોબરચાલતી ?  કંઇ તકલીફ છે?
ના એવું કઈ નથી.
તમે કહો તો ખરાં,આ તો જરા એમ જ જાણવું તું.
ઓકે. 
આટલા રુપીયાની
તો પપ્પા તમારો સેલરી કેટલો?
સમય આ કેવો  પ્રશ્ન  ?
એનું જાણીને તારે  શું કરવું છે  ?
ઈન્ક્મ  ટેક્સ  ભરવો છે કે ?
તમે કહો તો ખરા પપ્પા..
ઓકે  અંદાજે આટલો..
તો એટલો પગાર ક્યારથી આવે ?
બરોબર બસ બે વરસથી મને પ્રમોશન મળ્યું ત્યારથી.
દર વર્ષે તમે મારા ભણવાની પણ આટલી બધી ફી  ભરો જ છો.
હા એ તો કરવું જ પડે ને તો જ તને આગળ સારી નોકરીધંધો મળે ને.
 પણ મને એમ થાય કે જો આટલી ફી ભરો,ઘરના લોનના હપ્તા ભરો ,ઘર સુખશાહિબથી ચલાવીયે તો પછી આ કાર ખરીદીના રૂપિયા તમે કેવી રીતે બચાવી લીધા 
 રૂમ  નું  વાતાવરણ સાવ  નિશબ્દ  થઇ  ગયું  આ પ્રશ્ન થી ..
 અને એના પપ્પા પણ.
ત્યાં સમય ના મમી  વિધિ બહેન આવી જાય છે 
એમણે અજાણે પરિસ્થિતિ હાથ માં લઇ લે છે . 
સમય આજે પપ્પા જોડે શું  ચર્ચા માંડી છે ?
પપ્પા વાત  વાળી  લઇ એને  સમજાવે છે કે  હવે તું કોલેજ મા આમ કાર લઈ ને જાય તો તને  કમ્ફર્ટ  રહે ને તારું સ્ટેટ્સ બને.
 એ તો સાચું પણ પપ્પા  મેં તો ક્યાં કાર માંગીતી  જ?
ને તમેય જાણે જ છો મને તો બાઈક પર જ ફરવુ આવવું જવું ગમે છે.
 થોડું પોલ્યૂશન બી ઓછું થાય , આઈ એમ એન્વાયરમેન્ટ સેન્સિટિવ પરસન યુ નો .

ગયા મહિને પણ મમ્મી ના જન્મદિવસે તમે એમને પેલો મોંઘો ડાયમંડ  નેકલેસ આપ્યો હતો.
જો કે મને યાદ છે મમ્મીએ ડાયમન્ડ રિંગ જ માંગી હતી  

તો પપ્પા એક વાત કહું આટલી મોંઘી વસ્તુ તમે ક્યાંથીકેવી રીતે ખરીદી લાવો,અપાવો  છો પપ્પા ?

ને અમે એ વસ્તુઓ તો માંગી જ  નથી હોતી તો તમે શા કારણે  એ  વસ્તુઓ ,સુવિધાઓ આપવો છો?

પપ્પા  સમયને કોઈ જવાબ નથી આપતા.

 ત્યાં   તો વિધિ બહેન  રસોડા માંથી બૂમ પાડી ચાલો જમવાનું થઇ ગયું છે. નિમિત્ત તમે  સમય  ને  કો જલ્દી હાથ ધોઈ  લે ને તમે બંને  જમવા આવી  જાવ.  

પણ નિમિત્ત  ના મનમાં એજ ચાલતું હોય છે કે સમયના મન માં આ પ્રશ્ન આવ્યા ક્યાંથી ? 

બસ એ  ઝડપ થી  પોતાનું જમવાનું પૂરું કરી  ધાબા પાર જઈ  આંટા  મારવા લાગે છે.
નિમિત્ત સમય ને  પણ  જમીને ધાબા પર આવવા  કહે  છે. 

એને ખ્યાલ હતો જ સમય ફરીથી એ પ્રશ્નો પર આવશે  જ. 
થોડી વાર માં સમય ધાબા પાર આવી જાય છે.
નિમિત્ત એને અંગુલીમાલ ને બુદ્ધની વાર્તા કહે છે.

હવે નિમિત્ત એટલે કે પપ્પા સમયને પૂછે છે પણ આજે કોલેજ ગયો  તો   શું શું  કર્યુંશું શું શીખ્યો?

હંમમ સવારે લેકચર્સ ભર્યાપછી બ્રેક માં હું નાસ્તો કરવા જ્યાં જવું છું ત્યાં ગાડી લઇને ગયો તો. 
હું નાસ્તો કરી રહ્યો તો ત્યારે ત્યાં એક ભિખારી થોડી દૂર બેઠો  હતો .
પપ્પા પૂછે છે પછી.
એ છાપુ  વાંચતો તો.

મને બી  આશ્ચર્ય  થયુ કે એટ્લે મેં  બી પુછી  કાઢ્યું  આ છાપું વાંચી ને  વળી  કયો  બિઝનેસ  કરવો છે?
એણે  મને છાપા માં એક ચીત્ર બતાવ્યું અને એની પ્રાઇઝ જેની નીચે અન્ડરલાઇન કરી હતી એ બતાવી.
એ તો આપણી જ કાર નું  ચિત્ર હતું
એને મને પૂછ્યું આ બહાર સામે ઉભેલી કાર તારી છે?
મેં કીધું એક રીતે હા અને એક રીતે ના.
ભિખારી સમજી ગયો એટલે એણે કીધું તારા પપ્પા  એ તને લાવી આપી છે એમ જ ને.
મને એની  ચતુરાઈ ગમી એટલે મેં એને પુછ્યુ તમારે કઈ નાસ્તો કરવો છે ? 

એક મિનિટ  હું તમારી માટે કઇક  લઇ આવું.
હું પાછો ડીશ લઇ વળું એટલી વાર માં તો  .......??
બસ એ કાર નું ચીત્ર ને એમાં એ કાર ની  પ્રાઇસ નીચે કરેલી એ અંડર લાઈન વાળું છાપુ જ હતું ત્યાં તો .

 નિમિત્ત કહે છે આ વાતો તો બહુ થઇ ગઈ ,ચાલ સમય બહુ રાત થઇ ગઈ છે, 
તારે સવારે કોલેજ જવાનું છે ને મારે ઓફિસ.

ચાલ નીચે જઈ અને પોત પોતાના રૂમમા સુવા જઈએ.
સમય તો સુઈ ગયો છે.
બસ નિમિત્ત જાગે છે ....
ખબર નથી ?ખરેખર ?  કેમ? કેટલું ? શા માટે ?  

 ( ફોટો : ગૂગલ પર થી ) 

Tuesday, 18 June 2019

હે માણસ

મારા મગજ માંથી એ ચિત્ર હટતું જ નથી.
એ સાત વ્યક્તિ ની જમીન પર ગોઠવાયેલી એ  લાશો ને કોઈ દૂર થી એને ફુવારો મારી રહ્યું છે,
એ લાશો માં ના કેટલાક ના  હાથ હજુ આકાશ તરફ છે.. ક્યાંક થોડા ખુલ્લા તો ક્યાંક અધ ખુલ્લી  મુઠી વાળેલા.

મને કોણ જાણે એ સિકંદર ધ  ગ્રેટ  વાળી વાત ની  યાદ અપાવે છે કે મારા માર્યા પછી મન  દાટો  તો મારા હાથ બહાર રાખજો કે જેથી દુનિયા ને ખ્યાલ રહે કે તમેં  ગમે તેટલુ હાંસલ કરો છેલ્લે સાથે કઈ લઇ જઈ  શકાતું નથી, બસ હાથ ખાલી રહી જાય છે.

પણ અહીં ગયેલા માણસો સાથે કઈ લઇ નથી ગયા પણ કેટલાક પ્રશ્નો મુકતા ગયા છે
 સહુ માટે , આપણા માટે

એમના  હાથ માં રહી ગયેલો પ્રશ્ન
 -- કે હે માણસ તારે ત્યાં ગટર જામ  થાય કે ઉભરાય જાય કે તરત અમે તને યાદ આવીયે  છીએ ને અમને બોલાવે છે  ને  એ ઉલેચવા ને અમે હાજર પણ થઇ જઇયે છે.

પણ એવી જ  રીતે

 હે માણસ  ,

 કોક દી  તારા માનસ પટલ  ની  જામી ગયેલી  એ  પાઇપો, નાળીઓ   તો  ઉલેચાવ

 જ્યા  છે જાતિવાદના , આભડછેટના , અશ્પ્રુશ્યતા ના ડૂચા ,

 જ્યાં  ઉભરાય છે  ભેદભાવના , માનવ શોષણ ના  ખાળકુવા,

 જ્યા  ગંદકી ફેલાયેલી  છે ચોતરફ  કોઈ તારા જેવા જ માણસ ને   , સ્ત્રીઓ  ને એક  નિમ્ન સ્તરે જીવવા  માટે મજબૂર રાખવાની ,

 જ્યા  વાસ આવે છે દ્રેષ ની , જોહુકમીની  , દંભની ,

 એક વાર બોલાવી  તો જો

એવી તો સાફ કરીશ કે -
ત્યાં ખીલી  ઉઠશે માનવતા ના પુષ્પો ,
મોહરી  ઉઠ સે માનવગરિમા ,
ચોતરફ ફેલાઈ જશે માણસાઈ ની ખુશ્બુ

બસ એક વાર એક વાર  કહેણ મોકલી તો જો
હે માણસ ..





Thursday, 18 April 2019

14 th April



14  એપ્રિલ,

ડો .બાબાસાહેબ આંબેડકર  નો જન્મદિવસ

દુનિયા ના  દરેક ખૂણે એ મહાન વ્યક્તિત્વ  ના જન્મદિવસ ની ઉજવણી ની તસવીરો.
 ક્યાંય યોજાયેલા કોઈ યુનિવર્સિટી  લેકચર , ચર્ચા  થી લઇ સામાન્ય માણસો  એ  યોજેલા ડાયરા ને ગીત સંગીત ,નાટક ને અન્ય કેટલીય પ્રવૃતિઓ ને કાર્યક્રમો ને એમાં ગુંજતું  શિક્ષિત બનો , સંગઠિત બનો , સંઘર્ષ કરો  નું એ સૂત્ર.

માનવ અધિકારો માટે એ માણસે આદરેલા પ્રયત્નો ની આજે દેશ દુનિયા નોંધ લઇ રહ્યું છે અને  એમણે  આપેલા  વિચારો આજે દેશ દુનિયા માટે માપદંડ બની રહયા છે.   .

પણ જો ખુબ જ મહત્વ નું  જો કોઈ પરિવર્તન હોય  તે છે શિક્ષણ.

એમની અંગત જિંદગી માં શિક્ષણે  જે બદલાવ આણ્યો  હતો, એમણે એને એક સામાજિક  ક્રાંતિ માં પરિવર્તીત  કરી ભારત દેશ નો હરેક વ્યક્તિ  ચાહે એ  કોઈ પણ સમાજ કે ધર્મ  કે વર્ગ નો   હોય  એક સુશિક્ષિત  નાગરિક બને એવો ધ્યેય .

આજે  પણ કોઈ શહેર ગામ ના રસ્તે સ્કૂલ ડ્રેસ માં કોઈ બાળક ને સ્કૂલ બેગ કે સાદી  થેલી લઇ ને સ્કૂલ જતા જોવ ત્યારે  બાબાસાહેબ ના એ શિક્ષિત સમાજ નિર્માણ  ના એ સુન્દર સપના  ને સાકાર  થઇ  રહ્યા નો  ચોક્કસ અહેસાસ  થાય છે ,કરી શકાય  છે.

શું એ જ  દિશા માં કોઈ  પ્રવૃત્તિ કરી શકાય  એમ સતત મગજ માં વિચાર ચાલતો હતો
આખરે એમ થયું કે કેમ  શિક્ષણ માટે જ કોઈ ટૂર નું આયોજન કરી શકું, જેમાં વિધાર્થિઓ  જ  સામેલ હોય જેને જુદી જુદી  ઉચ્ચ શિક્ષણ  ની સંસ્થાઓ બતાવી શકાય, અવગત કરાવી શકાય.

બસ  અંતે આ વિચાર ક્લિક થઇ જ ગયો.

હવે  બસ વિદ્યાર્થીઓ ની જરૂર હતી એટલે મેં પાંચ સાત ઓળખીતી  વ્યક્તિઓ ને બે ત્રણ વિધાયર્થીઓ મોકલવા  કહ્યું।  જેથી  10 -15 વિધ્યાર્થીઓ થાય તો એ મુજબ વાહન કરાવી શકાય.
પણ જેમ જેમ દિવસ નજીક આવી રહ્યો હતો એમ  કોઈ કોઈ ને વ્યક્તિ   કોઈ કારણસર ના પાડી રહ્યો હતો.
અંતે છેલ્લા  દિવસે એટલે કે 13 એપ્રિલે  રાતે 11  વાગ્યા સુધી હજુ વિદ્યાર્થીઓ મોકલી  આપશો  કે  કેમ  એવી ગડમથલ સાથે હું મિત્રો ને ફોને કરી રહ્યો હતો. બધે થી નકારાત્મક પ્રત્યુત્તર જ મળી રહ્યા હોય ગુસ્સો  પણ આવતો હતો ને હતાશા  પણ લાગી રહી હતી.

અંતે એક મિત્ર  ના ઓળખીતા  વ્યક્તિ  જેમની ગાડી ભાડે થી  કરી હતી  એ ભાઈ એમની દીકરી ની સાથે બીજા બે વિદ્યાર્થી ને લઇ આવશે એવી  ફોને   પાર વાત થઇ   એટલે શાંતિ થી  રાત્રે  સુઈ  ગયો  બસ.

સવારે નવેક વાગ્યા ની આસપાસ ટૂર શરૂ   કરી  અમદાવાદ  શહેર ની વિવિધ  શૈક્ષણિક  સંસ્થાઓ આગળ થતા થતા  એ વિષે ની માહિતી એકત્ર કરતા કરતા  ગાંધીનગર  પહોંચ્યાં। અંતે સેન્ટ્રલ યુનિવર્સીટી  ,ગાંધીનગર પહોંચ્યા। જ્યાં બાબાસાહેબ  વિષે એક કાર્યક્રમ પૂર્ણ થતા ત્યાં હાલ શિક્ષણ લઇ રહેલા  શોધાર્થી વિધાર્થી પાસેથી  ટૂર ના સ્કૂલ ના વિદ્યાર્થીઓ એ  એમના  શિક્ષણ  ,શૈક્ષણિક પ્રવૃત્તિ ઓ ની  માહિતી મેળવી .

આમ  ફરતા ફરતા થોડી અન્ય શિક્ષણ સંસ્થાઓ જોતા જોતા અમે ઘરે પાછા આવ્યા.

આ સમગ્ર ટૂર દરમિયાન  સાથે આવેલા એ  શિક્ષક મિત્ર અને એ વિધ્યાર્થીઓ  નો આભાર વ્યક્ત કરવો ઘટે જેમણે  જરા પણ નિરસતા   બતાવ્યા  વગર, થાક્યા વગર છેક સુધી સહકાર દાખવ્યો   ને આખી પ્રવૃત્તિ ને સફળ બનાવામાં મુખ્ય ફાળો આપ્યો.

નહીંતર કદાચ આ પ્રકાર ની  પ્રવૃત્તિ  શરૂ  કરવી એજ  એક વિચાર ને સપનું  બનીને  જ રહી જાત.


બસ હમણાં જ એ ભાઈ ને ફોન કરી એમનો અભિપ્રાય લીધો.
ભાઈ ખુદ શિક્ષક હોય એમને  ટૂર ખુબ જ માહિતીપ્રદ ને  વિદ્યાર્થીઓ માટે પ્રેરણા આપે એવી રહી એવું કહ્યું ,
હા સાથો સાથ  કેટલીક  સંસ્થાઓ ને અંદર  થી જોવા  મળી  હોત  તો  ઓર વધુ  સરસ રહેતી  ટુર એમ પણ સૂચવ્યુ.

છેલ્લે  એટલું જ કહીશ અંતે કંઈક  કરી  શક્યા નો આનંદ  અને સંતોષ

14 એપ્રિલ ના રોજ.


----



  

Saturday, 28 April 2018

એ બધુ તો સાચું..પણ - તમે કેવા ..!! ???

હા 2018 મા પણ કોમ્પ્યુટર , ટેક્નિક નિ આધુનિક દુનિયા મા પણ આ પ્રશ્ન આ દેશ ના કેટલાય લોકો નો પીછો નથી છોડતો ..મૂંજવવાનું બાકી નથી મુકતો
આ વરવી ને કડવી  વાસ્તવિકતા ને રૂપેરી પડદે અંકિત કરનારી સમગ્ર ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન એમનાં આ વિરલ પ્રયત્ન માટે

" તમે કેવા" આ પ્રશ્ન આજેય કેટલાય માટે પ્રાણ પ્રશ્ન બની જાય છે એ  વાત લઇને આવતું  આ મૂવી એ માત્ર મૂવી જ નથી એ એક મેસેઝ છે કેવી રીતે આ જાતી ની માન્યતાઓ બનેલી છે ,કેવી રીતે એ માનવ ના માનસ ને ઘડે છે ,જેથી ગમે તેટલા શિક્ષણ પછી  પણ એ સંકુચિત માનસીકતા માંથી બહાર નથી નીકળી શકતો જેના કારણે
જેથી એનાં જેવા જ દેખાતા માણસો ને એ ડગલે ને પગલે હિણપત નો અનુભવ  કરાવે  ને જેની  વ્યથા એ વ્યક્તિ ને ગુન્ગળાવી મુકે છે , તૌ ક્યારેક અંદર થિ હચમચાવી દે છે..
 ત્યાંરે એ એનો બદલો લેવા કેટલાય નિત નવા નુસખા કરે છે તો
  તો કંટાળીને ક્યારેક એની સામે બંડ પોકરવાનુ વિચારે છે .
કાંતો એ  શસ્ત્ર લઇ શકે કાંતો કલમ ??

એ બે માંથી મૂંજ્વણ ઊભી થાય તયારે શુ ??
થાકી હારી ને માણસ શુ કરે ??
પ્રેમ કદાચ જાતિ ને નઈ ઓળખતો હોય પણ લગ્ન ચોક્કસ ઓળખે છે..ન એટ્લે જ કદાચ UPSC નાં  ઈંટરવ્યુ મા પણ કદાચ જેટલો  આકરો સવાલ નહી લાગતો  એવો કપરો આ સવાલ  જેના માટે  ક્યારેક શુ શુ  બદલી શકાય તો " તમે કેવા " એ પ્રશ્ન નો વાજબી ઉકેલ લાવી શકાય  ને પોતાની જીંદગી  આ " તમે કેવા " એ  સવાલ નો  સામનો  જ ના કરવો પડે એના માટે પ્રયત્નો કરતો રહે છે
પણ તોય માણસ નું આશાવાદી હોવું એ જ એની મોટી તાકાત છે..
સમાજ માણસ થી બનેલો છે  ને આ માણસ ને સમાજ બન્ને પરિવર્તન શીલ છે ને એટ્લે જ એ જોઇ શક્યો છે સમજી શક્યો છે આવી રહેલા એ બદલાવ ને .. એનેે બદલાવ ની એ આછેરી ઝલક ક્યાંક દેખાય છે.
 બધા જાણે જ છે બધુ રાતો રાત એમ જ નથી બદલાવાનું
એણે માટે થોડી ધીરજ ધરવી પડશે,
બદલાવ ને પેહલા વિચાર મા ને પછી પ્રક્રિયા મા પરિવર્તિત કરવી પડશે
થોડી બાંધ છોડ કરવી પાડશે,થોડુ જતું કરવું પડશે
બન્ને તરફ થિ ને બન્ને પક્ષે
ને  આ જ દેશ નિ ધરતી પર જન્મેલા એ મહાન વ્યક્તિઓ ના સહિષ્ણુતા  ને સમાનતા ના પાઠ ભણવા સમજવા પડશે જ ..

ફરી એક વાર " તમે કેવા " ની ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન..
ને એક જોરદાર સલામ...

Tuesday, 5 December 2017

" love ની ભવાઇ " ફિલ્મ પર થી પ્રેરિત શબ્દરચના..

Plz don't say anything..

Emotion ની પરિભાષા મા બહુ માહેર ના હોય
 ને બિઝનેસ ની આંકડાકીય ગણતરી મા ગુચ્વાયેલા રેહતો હોય એ માણસ પ્રેમ નું proposal  મુકે તો એની કવિતા નું ટાઇટલ કેવું હોય ..
થોડુ બરછટ ,થોડુ લિસું ...
થોડુ કડક ,થોડુંક નરમ .. .
 ..પણ આખરે શુ??
proposal ની તૈયારી કરી શકાય
પણ શુ પ્રેમ ની તૈયારી કરી શકાય??

બહુ અઘરો સવાલ છે..

હકીકતે જોઇયે તો
બધા જ વ્યક્તિ emotion ઓળખવા સમજવા મા પારંગત થોડા હોય છે.
ક્યારેક કેટલાંક અગમ્ય અનુભવો કિસ્સાઓ ને કારણે એ બાબતે નકારાત્મક તો કેટલાંક સકારાત્મક અભિગમ ધરાવે છે.

પણ એ બી એટલું જ સત્ય છે કે અમુક ઘટનાક્રમ આ અભિગમ ને બદલી નાખવા માટે સક્ષમ હોય છે,સીમા ચીહન રૂપ સાબીત થતો હોય છે ..



એથી જ કદાચ અમુક તો  એ અનુભવ થકી જ શીખે છે,ભુલ કરે છે,પડે છે,આખડે છે ને અંતે સમજુ બની જાય છે.
પણ અહી સુધી પહોંચતા પહેલા મન જેનાથી  રંગાય જાય છે


I like you થી
I love you ..સુધી ની જે સફર હોય છે
એ દરમિયાન લાગણીઓ નિ જે ભવાઇ રચાય છે એને
શબ્દમા રૂપાંતરિત કરવું..
કદાચ યોગ્ય નથી લાગતુ
કારણ..
એ તો હોય છે અણી શુદ્ધ નિર્દોષ લાગણીઓ .


Sunday, 26 November 2017

સંવિધાન


સંવિધાન દિન ની સંધ્યાએ ...


સંવિધાન એ માત્ર કલમો  યાદ કરવા માટે નથી ,
એ તો કલમ ની તાકાત સમજવા માટે છે ..
સંવિધાન એ દેશ ને ચલાવવા  માટે  નથી માત્ર શિરસ્તો ,
એ તો એક રાષ્ટ્ર બનાવવાનો  છે માર્ગદર્શક રસ્તો .
સંવિધાન એ સમન્વય છે દુનિયા ની વિચાર ધારા ઓનો,
જેે માનવ માનવ સાથે નાં વ્યવહાર ની વાત આલેખે છે ..
એ વાત નથી કરતો  માત્ર  માનવ ની,
એમા તો માનવ નું નાગરિક શુ હોવું એ પણ સુલેખે છે..
એ તો વાત  કરે  છે એ અધિકારો ની,
જે માનવ માટે મૂળભૂત છે..
એ માટે અવાઝ ઉઠાવવાની,
 વાત પણ એમા મજબૂત છે ..
ભૂલશો નહિ કે એમા ફરજો ની પણ વાત છે ,
 જે  આપણે નિભાવવાની છે..
કારણ કે આપણે સહુ એ આપણી દુનિયા ,
સાથે  મળી ને જ બનાવાની છે .

Sunday, 22 October 2017

ભાગ 2 - દિવાળી - ચૂંટણી - આપણે

  ભાગ  2  - દિવાળી - ચૂંટણી  - આપણે
તહેવાર આવે ને ચાલ્યો  પણ  જાય ને આપણે  સહુ ફરી એ જ  રોજિંદી  જીન્દગી  માં  ગોઠવાય જાશું
ચૂંટણી માં  પણ આમ જ થતું હોય છે  એક  દમ માહોલ જામે,મતદાન થાય અને આખરે એનો   મિજાજ  ઓશરે।

લોકશાહી મા નાગરિક - હક -ફરજો - સત્તા - જવાબદારી એકબીજ સાથે સંકળાયેલ હોય   છે.

લોકશાહી મા દરેક ને પોતાની વૈચારિક શક્તિ ને ક્ષમતા મુજબ સમસ્યા  ઉકેલવાની  સ્વાતંત્ર  છે પણ  બંધારણ ની મર્યાદા મા  રહીને   .

 બીજી રીતે કહું તો બંધારણ ને અનુરૂપ પ્રક્રિયા થાકી

ને એવી જ એક   પ્રક્રિયા જે  હરેક નાગરિક ને  સાંકળે છે  એટ્લે જ ચૂંટણી - મત આપવાની  પ્રક્રિયા.
જેનાં થકી આપણે આપણા  નાગરિક તરીકે ના  મૂળભૂત  પ્રશ્નો અને  સમસ્યાઓ નો   ઉકેલ  એક  વ્યવસ્થા ના  રૂપે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીયે છીયે

પણ  સાચો  જવાબ  મેળવવા માટે પેહલા સાચા પ્રશ્નો ને  સાચી સમસ્યા નિ પિછાણ કરવી એંટલી જ જરુરી છે
શું  આપે એક  નાગરિક તરીકે આવો   કોઈ  વિચાર  કર્યો છે ?

શું  કોઈ એવા મુદ્દા છે તમારા મગજ મા જે આપણને  સહુ કોઈ ને સ્પર્શી શકે ?


તમને પણ સીધી રીતે ચૂંટણી  ટાણે અડતા અંગત મુદ્દા વિચારો ને  સમજો કે આવા  મુદ્દા પર કેટલી  વાતો ને ચર્ચા થાય છે ? ને એનાં ઉકેલ માટે ની  બ્લુ પ્રિન્ટ રજુ થાય છે ?

 કારણ  કે  આપણી  પાસે નાગરિક  તરીકે  પ્રશ્નો બહુ છે,

 લોકશાહી  માં ચૂંટણી એ નાગરિક માટે સંગ્રામ નથી , કદાચ ઉમેદવાર માટે હોય શકે  પણ એ પણ ચૂંટણી પૂરતા જ   કારણ  કે એ  ઉમેદવાર હોય કે મતદાર સહુ અંતે તો એક દેશ  રાજ્ય ના નાગરિક છીએ

 ચૂંટણી એ મતદાર તરીકે આપણી  સૌથી  મોટી  લાઈફ લાઇન છે ..
એટલે જ નાગરિક તરીકે  મત આપી  ને  પોતાના  ને સહુ  ના ભાવિ  ને  અનલૉક  કરી શકો છો .
તો મત આપવાનું   ભૂલશો નહીં એ સૌથી મોટી નૈતિક ફરજ છે આપણી નાગરિક તરીકે ..
ખરું ને ...

Pustak

  ઘરના કોઈ ઓરડાની ખુરશીમાં  કે બગીચાના કોઈ બાંકડા પર   કે  બસમાં કે ટ્રેનના ડબ્બામાં મુસાફરીમાં  બેઠા બેઠા જ વિચારો ને વિસ્તારવાની  તક આપે એ...